Sat. Jun 6th, 2026

મિર્ચીએ અદાણી ગ્રૂપના ‘હમ કરકે દિખાતે હૈં’ અભિયાનને વિશ્વના પ્રથમ લાઇવ સોલાર પાવર્ડ રેડિયો સ્ટુડિયો સાથે આપી નવી ઉર્જા

 

હિંમત, નવીનતા અને ટકાઉ પ્રગતિની અનોખી ઉજવણીમાં ભારતની અગ્રણી મનોરંજન બ્રાન્ડ મિર્ચીએ અદાણી ગ્રૂપની “હમ કરકે દિખાતે હૈં” હેઠળની ત્રીજી ફિલ્મના લોન્ચને વધુ પ્રભાવશાળી બનાવવા માટે હાથ મિલાવ્યો છે. આ કેમ્પેઇને ભારતના મોટા શહેરોમાં ધૂમ મચાવી છે — રેડિયો, ડિજિટલ અને ઑન-ગ્રાઉન્ડ એક્ટિવેશનના અનોખા સંયોજન સાથે, જેમાં મિર્ચીના દેશભરના 100 આરજેના અનોખા ડિજિટલ ટેકઓવર અને અમદાવાદમાં લાઇવ સોલાર પાવર્ડ રેડિયો સ્ટુડિયો — ‘સૂરજ ભૈયા’ની શક્તિથી! — તેને વધુ ખાસ બનાવ્યું છે.

મિર્ચીએ થલતેજના ગુરદ્વારા ક્રોસ રોડ્સ ખાતે સંપૂર્ણ સોલાર પાવરથી ચાલતો લાઇવ રેડિયો સ્ટુડિયો ઉભો કર્યો છે, જે દર્શાવે છે કે રિન્યૂએબલ એનર્જી માત્ર કૃષિ, હોસ્પિટલો અને સ્કૂલો જ નહીં, પણ મનોરંજનને પણ શક્તિ આપી શકે છે.

આ અનોખી પહેલનો હેતુ રિન્યૂએબલ એનર્જીના મહત્વને ઉજાગર કરવાનો અને જીવન પરિવર્તન લાવનારા “સૂરજ ભૈયા”ની ભૂમિકાની ઉજવણી કરવાનો હતો. સમગ્ર સેટઅપ સંપૂર્ણપણે સોલાર પેનલથી સંચાલિત હતો, જેના કારણે આ પ્રસારણ સંપૂર્ણપણે ઝીરો-એમિશન બન્યું.

આ લાઇવ શો મિર્ચીના લોકપ્રિય આરજે કૃતાર્થ અને આરજે ઉર્વીએ રજૂ કર્યો હતો. તેમણે શ્રોતાઓ અને પ્રેક્ષકોને મજેદાર વાતચીત, ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ અને સોલાર ઊર્જા વિષયક રસપ્રદ માહિતી સાથે જોડ્યા હતા. આ જોડીએ પ્રેરણાદાયી કથાઓ રજૂ કરી કે કેવી રીતે “સૂરજ ભૈયા” લોકોનું જીવન બદલવામાં મદદ કરી રહ્યા છે, અને સાથે અદાણી સોલારના નવીનીકરણીય ઊર્જાને સરળતાથી ઉપલબ્ધ અને અસરકારક બનાવવા માટેના કાર્ય અંગે માહિતી આપી હતી.

આ પહેલ અદાણી ગ્રૂપના અડગ જુસ્સા “હમ કરકે દિખાતે હૈં”નું પ્રતિબિંબ પણ છે — જ્યાં સાહસિક વિચારોને વાસ્તવિકતા બનાવવા માટે પ્રતિબદ્ધતા દેખાય છે. માત્ર સોલાર ઊર્જાથી સંપૂર્ણ લાઇવ પ્રસારણ કરીને અદાણી અને મિર્ચીએ સાબિત કર્યું કે નવીનતા અને સંકલ્પ ટકાઉ અને હરિયાળી આવતીકાલ તરફ દોરી શકે છે.

આ કેમ્પેઇનના કેન્દ્રમાં અદાણીની નવી લોન્ચ કરેલી સોલાર ફિલ્મ છે, જે કંપનીની અડગ પ્રતિબદ્ધતા — નવીનીકરણીય ઊર્જા અને સ્થિરતાને રજૂ કરે છે. આ ફિલ્મ ભારતના સૌર ભવિષ્યનું આશાવાદી ચિત્ર રજૂ કરે છે, સાથે જ મિર્ચીના આરજેઓએ ‘હમ કરકે દિખાતે હૈં’ ની કાર્યશીલ ભાવનાને પ્રતિબિંબિત કરી હતી.

Related Post