Sat. Jun 6th, 2026

ડૉ. જે. પી. વૈષ્ણવ દ્વારા રચિત ગ્રંથનું વિમોચન

અમદાવાદ, 2025 : Echoes of Dharma : A Journey through Leadership in the Ramayana, ડૉ. જે. પી. વૈષ્ણવ દ્વારા રચિત ગ્રંથનું વિમોચન, જગદગુરુ શ્રી જગન્નાથ પીઠાધીશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી દિલીપદેવાચાર્યજીના પવિત્ર આશીર્વાદ હેઠળ થયું.

આશીર્વાદરૂપે જગદગુરુ શ્રી દિલીપદેવાચાર્યજીએ જણાવ્યું કે રામાયણ માત્ર પવિત્ર મહાકાવ્ય નથી, પરંતુ ધર્મપ્રધાન નેતૃત્વ અને સારા શાસનનું માર્ગદર્શન આપે છે. તેમણે ડૉ. વૈષ્ણવના પ્રયત્નોની પ્રશંસા કરી કે જેમણે શાશ્વત મૂલ્યોને આધુનિક સંદર્ભમાં રજૂ કર્યા છે અને આશા વ્યક્ત કરી કે આ ગ્રંથ વાચકોને વિનમ્રતા, ન્યાય અને સત્યના આદર્શો અપનાવવાની પ્રેરણા આપશે.

આ ગ્રંથ રામાયણને નેતૃત્વના દ્રષ્ટિકોણથી રજૂ કરે છે, જેમાં શ્રીરામની અખંડિતતા, સીતાજીની સહનશીલતા, ભરતનું નિસ્વાર્થપણું, હનુમાનજીની ભક્તિ તથા રાવણની મહત્ત્વાકાંક્ષા જેવી કથાઓમાંથી પાઠ મળે છે. પુસ્તક ભારપૂર્વક દર્શાવે છે કે આ પાત્રોની પસંદગીઓ માત્ર દંતકથાઓ નથી, પરંતુ આજના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં લેવાતા નિર્ણયોનું પ્રતિબિંબ છે.

ડૉ. વૈષ્ણવે સમજાવ્યું કે Echoes of Dharma એ ઈમાનદારી અને કરુણાથી નેતૃત્વ કરવાની પ્રેરણા આપે છે. આ ગ્રંથ દર્શાવે છે કે રામાયણનું જ્ઞાન આજે પણ વ્યક્તિઓ, ટીમો અને સમાજને તેમના કર્તવ્ય અને ઇચ્છા વચ્ચેના ચોરાહે માર્ગદર્શન આપે છે.

વિદ્ય્વત્તાભર્યા વિશ્લેષણ અને આધ્યાત્મિક આશીર્વાદ સાથે આ પુસ્તક વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને મૂલ્યઆધારિત નેતૃત્વના શોધક માટે પ્રેરણાસ્ત્રોતરૂપ છે.

Related Post