Tue. Jul 21st, 2026

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન

અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિખ્યાત રાજકારણી શ્રી વિજય રૂપાણીનો આજે એક દુર્ઘટનાગ્રસ્ત વિમાન અકસ્માતમાં દુઃખદ અવસાન થયો છે.

મળતી વિગતો અનુસાર, તેઓ એક ખાનગી પ્રવાસે હતા ત્યારે તેમનું વિમાન ટેકઓફ બાદ થોડાં જ સમયમાં અચાનક ક્રેશ થયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકોનાં મૃત્યુ થયા હોવાનું અનુમાન છે. અધિકૃત સ્ત્રોતો તરફથી પુષ્ટિ મળવાની પ્રક્રિયા ચાલુ છે.

શ્રી વિજય રૂપાણીએ લાંબા સમય સુધી ગુજરાતના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોના પ્રખર અનુયાયી હતા અને એક શુદ્ધ છબીના નેતા તરીકે ઓળખાતા હતા.

તેમના નિધનથી ગુજરાત અને દેશને અપૂર્ણ ક્ષતિ પહોંચી છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શોકની લાગણી ફેલાઈ છે.

ઓમ શાંતિ।

Related Post