જયપુર સ્થિત સુરેશ જ્ઞાન વિહાર યુનિવર્સિટીના કાલિન્દી ઓડિટોરીયમમાં રવિવાર, ૧ જૂન ૨૦૨૫ના રોજ ભવ્ય ફાઉન્ડેશનના આયોજન માં આંતરરાષ્ટ્રીય મિત્રતા સંમેલન અને ભારત શ્રી સન્માન – ૨૦૨૫ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનારા વ્યક્તિઓને સન્માનિત કરવો હતો — ખાસ કરીને કેન્સર પીડિતો, શારીરિક રીતે નિર્વળ વ્યક્તિઓ, ઓટિઝમ વોરીયર્સ અને અનાથાશ્રમોના બાળકો માટે આ એક સમર્પિત ઉપક્રમ હતો.
આ વર્ષે દેશ અને વિદેશથી આવેલા કુલ ૨૦૦ પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવાથી કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ મહેશભાઈ સવાણી (સુરત, ગુજરાત) અને અતુલકુમાર શર્માએ ઉપસ્થિત રહ્યા. પોસ્ટરનું વિમોચન જયપુરના પોલીસ કમિશનર બિજુ જૉર્જ જોસેફ અને ફોર્મર સ્ટેટ કમિશનર ઉમાશંકર શર્માએ કર્યું.
આ વિશિષ્ટ પ્રસંગે ડૉ. રાહુલ રાજ કુલશ્રેષ્ઠ, ડૉ. તુહિના પ્રકાશ શર્મા, ડૉ. પ્રિયંકા જૈન, બી.વી. વેંકટેશ, ઓ.પી. સક્સેના, સુનીલ જૈન વગેરે આદરણીય અતિથિઓ હાજર રહ્યા.
કાર્યક્રમનું ખાસ આકર્ષણ હતું – અનાથાશ્રમના બાળકો અને ઓટિઝમ વોરીયર્સ દ્વારા રજૂ કરાયેલી સંગીત, નૃત્ય, વાદન અને કરાટે જેવી સાંસ્કૃતિક રજૂતો. શ્રેયાન ચક્રવર્તી, તનિષા દલાલ અને ટ્રેઝર લેન્ડ એજ્યુકેશનના ગ્રૂપ ડાન્સને વિશેષ વખાણ મળ્યા। શ્રેયાનને “પ્રસૂન પુરસ્કાર” હેઠળ ₹૫૧૦૦ રોકડ રકમથી સન્માનિત કરવામાં આવ્યા અને તનિષાને “કાકુલ સ્મૃતિ સન્માન” હેઠળ ₹૧૧૦૦ આપવામાં આવ્યા.
આ અવસરે મુંબઈ, મહારાષ્ટ્રથી આવેલી શિક્ષિકા તથા લેખિકા શ્રીમતી શમીમ મર્ચન્ટને પણ સન્માનિત કરવામાં આવ્યા। અત્યાર સુધીમાં તેઓએ અંગ્રેજી અને ગુજરાતીમાં નવલકથાઓ, લઘુકથાઓ, કવિતાઓ અને લેખો લખી ૧૨ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. આ કાર્યક્રમમાં તેમણે પોતાની પહેલી હિન્દી પુસ્તક “सतरंगी भावनाएं” – ૫૦ લઘુકથાઓનો સંગ્રહનું વિમોચન કર્યું. તેમને ભવ્ય ફાઉન્ડેશન તરફથી ટ્રૉફી, પ્રમાણપત્ર, પરંપરાગત રાજસ્થાની સાફો, મેડલ અને મોતીની માળા આપીને સન્માનિત કરવામાં આવ્યા.
શ્રીમતી મર્ચન્ટે તેમના ટૂંકા સંબોધનમાં ફાઉન્ડેશનની ડિરેક્ટર ડૉ. નિશા માથુરનો આભાર માન્યો અને જણાવ્યું કે તેમનું ૧૨મું પુસ્તક – ૧૦૦ અંગ્રેજી કવિતાઓનો સંગ્રહ – તામિલનાડુમાં તા. ૨૪ મેના રોજ યોજાયેલ વિશ્વ વિક્રમ કાર્યક્રમમાં રિલીઝ થયું હતું, જ્યાં Creative Writers Group દ્વારા એક જ દિવસે ૧૧૩ લેખકોની ૧૫૦ પુસ્તકોનું વિમોચન થયું હતું।
કાર્યક્રમ દરમિયાન “ભવ્ય ફાઉન્ડેશન બ્રાન્ડ એમ્બેસેડર” તરીકે મિસ રિયા શર્મા, હિયા પ્રજાપતિ, પ્રેક્ષા ડૉન અને ડૉ. પ્રિયંકા જૈનને તાજ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગનું સંચાલન આકાશવાણીની આરજે સપનાએ કર્યું.
આ સન્માન સમારંભમાં સાહિત્ય, પત્રકારિતા, સમાજસેવા, શિક્ષણ, જ્યોતિષ, ખેતી, કલા, ફિલ્મ અને ફેશન જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કરનારા પ્રતિભાશાળી લોકોનું સન્માન કરાયું. ભવ્ય ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શૈલેષ માથુર અને નિદેશિકા ડૉ. નિશા માથુરે ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું અને ફાઉન્ડેશનની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓની માહિતી આપી.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે સાબિત થયું કે પ્રતિભા ક્યારેય કોઈ સીમા સાથે બંધાયેલ નથી, તે વિકલાંગ બાળકો હોય કે કલમ દ્વારા સમાજને દિશા આપનારા લેખકો, દરેકને યોગ્ય પ્લેટફોર્મ મળવું જોઈએ. ભવ્ય ફાઉન્ડેશનનો આ પ્રયાસ સમરસતા અને સમર્પણની ભાવનાને બળ આપે છે.