Samsung Galaxy F23 5G નો નવો અવતાર લોન્ચ, જાણો શું છે ખાસ અને કેટલી છે કિંમત
કંપનીએ Samsung Galaxy F23 5Gને કોપર બ્લશ કલર વેરિઅન્ટમાં…
Gujarati News Portal
કંપનીએ Samsung Galaxy F23 5Gને કોપર બ્લશ કલર વેરિઅન્ટમાં…
ભારતના ધનિક મધ્યમ વર્ગના વધારા અને ગ્રામીણ અર્થતંત્રમાં વૃદ્ધિથી…
આજે અહીં વીડિયો કોન્ફરન્સ મારફતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ…
ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે 84,332 નવા કેસ નોંધાયા છે. દેશમાં હવે સતત 5 દિવસથી દૈનિક…
PM નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં ચાલી રહેલા વેક્સીનેશન અભિયાનની…
ગ્રૂપની નવી સસ્ટેનેબિલિટી રૂપરેખાને અનુરૂપ પેપરલેસ ટ્રાન્ઝેક્સનની સુવિધા રજૂ…
IAS – UPSC હાલના નોવેલ કોરોના વાયરસ (કોવિડ-19)ના કારણે…
ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને દેશમાં…
કોરોના સંકટના આ સમયગાળામાં વૈશ્વિક અર્થતંત્રમાં સતત નકારાત્મકતાનો માહોલ…
અચાનક થી આવી પડેલી અણધારી અને વણબોલાવેલી આપદા એટલે…
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનોલોજી પ્લેટફોર્મ ચેમ્પિયન્સનો પ્રારંભ કરાવ્યો. તેનું સંપૂર્ણ નામ છે C ક્રિયેશન અને H હાર્મોનિયસ A એપ્લીકેશન ઓફ M મોર્ડન P પ્રોસેસ ફોર I ઇન્ક્રીઝીંગ ધી O આઉટપુટ એન્ડ N નેશનલ S સ્ટ્રેન્થ. આ પોર્ટલ તેના નામ અનુસાર જ નાના એકમોને તેમની ફરિયાદોનું નિવારણ કરીને, તેમને પ્રોત્સાહિત કરીને, સહાયતા કરીને, મદદ કરીને અને તેમનો હાથ પકડીને મોટા બનાવવા માટે છે. તે સુક્ષ્મ, લઘુ મધ્યમ કદના ઉદ્યોગો માટે વન સ્ટોપ સોલ્યુશન છે. ICT આધારિત આ વ્યવસ્થા તંત્ર વર્તમાન મુશ્કેલ પરિસ્થતિની અંદર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મદદ કરવા માટે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજેતાઓ બનાવવા માટે મદદ કરવા પણ બનાવવામાં આવ્યું છે. ચેમ્પિયન્સના મુખ્ય ઉદ્દેશ્યો: ફરિયાદ નિવારણ: એમએસએમઈની સમસ્યાઓ જેવી કે નાણાકીય, કાચો માલ, શ્રમિકો, નિયામક પરવાનગીઓ વગેરેને, ખાસ કરીને કોવિડના પગલે ઉત્પન્ન થયેલ મુશ્કેલ પરિસ્થિતિમાં ઉકેલવા માટે. તેમને નવી તકો ઝડપવામાં મદદ કરવા માટે: મેડીકલ સાધનો અને પીપીઈ, માસ્ક વગેરે એક્સેસરીઝના ઉત્પાદન સહીત તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પુરા પાડવા માટે જેનામાં સ્પાર્ક છે તેમને ઓળખી કાઢવા અને પ્રોત્સાહન આપવા: અર્થાત સક્ષમ એમએસએમઈ કે જેઓ વર્તમાન પરિસ્થિતિમાં ઉભા રહેવા સક્ષમ છે અને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન્સ બની શકે છે. તે એક ટેકનોલોજીથી યુક્ત કંટ્રોલ રૂમ કમ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. ICT સાધનો જેવા કે ટેલીફોન, ઈન્ટરનેટ અને વિડીયો કોન્ફરન્સ સહીત આ સિસ્ટમ કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા એનાલીટીક્સ અને મશીન લર્નિંગથી સજ્જ છે. તે ભારત સરકારના મુખ્ય ફરિયાદ નિવારણ પોર્ટલ CPGRAMS સાથે અને એમએસએમઈ મંત્રાલયના પોતાના અન્ય વેબ આધારિત વ્યવસ્થાતંત્રની સાથે રીયલ ટાઈમના આધાર પર સંકળાયેલ છે. સંપૂર્ણ ICT માળખું એ કોઇપણ કિંમત વિના NICની મદદથી ઇન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. એ જ રીતે ભૌતિક માળખું એ ટૂંક સમયની અંદર કોઈ એક મંત્રાલયના ડમ્પિંગ રૂમમાં તૈયાર કરવામાં આવ્યું હતું.…
ગુજરાતમાં અનલોક-1 સોમવારથી અમલ કરાશે રાત્રે 9થી સવારે 5…
ભારતીય રેલ્વે દરરોજ અનેક શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવે છે…
સરકારે આવશ્યક ચીજવસ્તુઓના ધારા, 1955માં સુધારો કરીને એન-95 માસ્કને આવશ્યક ચીજવસ્તુઓ તરીકે અધિસૂચિત કરી છે. આ માટે સરકારે 13 માર્ચ, 2020ની તારીખની અધિસૂચના જાહેર કરી છે. એટલે આ કાયદા અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ, કાળા બજાર દંડને પાત્ર છે. આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી, કાળા બજારીને નિયંત્રણમાં રાખવા રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ધારા, 2005 અંતર્ગત સુપરત કરવામાં આવેલા અધિકારોનો ઉપયોગ કરવા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારને સૂચના આપવામાં આવી છે, જેથી સર્જિકલ અને પ્રોટેક્ટિવ માસ્ક, હેન્ડ સેનિટાઇઝર્સ અને ગ્લોવ્સની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય, જેની કિંમત 13 માર્ચ, 2020ના રોજ જાહેર કરેલા આદેશ મુજબ, પેક સાઇઝ પર પ્રિન્ટેડ મહત્તમ છૂટક કિંમત (એમઆરપી)થી વધારે ન હોય. દેશમાં એન-95 માસ્કની સંગ્રહખોરી, કાળા બજાર અને કિંમતમાં મોટો ફરક સાથે સંબંધિત ફરિયાદો મળી છે. આ સંદર્ભમાં એનપીપીએએ તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સ્ટેટ ડ્રગ કન્ટ્રોલર્સ (એસડીસી)/ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન્સ (એફડીએ)ને ઉચિત કામગીરી કરવા સૂચના આપી છે. રિપોર્ટ મુજબ, થોડા એસડીસી/એફડીએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે તથા આવશ્યક ચીજવસ્તુની સંગ્રહખોરી અને કાળાં બજાર કરતાં લોકો સામે ઉચિત પગલાં લેવામાં આવ્યાં છે. આદરણીય બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ પીઆઇએલ પણ ફાઇલ થઈ છે, જેમાં સરકાર દ્વારા એન-95 પર ટોચમર્યાદા લાદવાની માંગણી થઈ છે. સરકાર દેશમાં એન-95ના પર્યાપ્ત પુરવઠાને સતત સુનિશ્ચિત કરવા આતુર છે. આ માટે સરકારે ઉત્પાદકો/આયાતકારો/સપ્લાયર્સ પાસેથી બલ્ક રેટ પર મોટી સંખ્યામાં એન-95ની ખરીદી કરી છે. એન-95 માસ્કની ઊંચી કિંમતની સમસ્યાઓનું સમાધાન કરવા એનપીપીએએ એની કિંમતમાં ઘટાડો કરવા હસ્તક્ષેપ કર્યો છે. આ સંબંધમાં દેશમાં વાજબી કિંમતે એન-95 માસ્કની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા એનપીપીપીએએ 21 મે, 2020ના રોજ એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં એન-95ના તમામ ઉત્પાદકો/આયાતકારો/સપ્લાયરોને બિનસરકારી ખરીદી માટે કિંમતમાં સમાનતા જાળવવા અને વાજબી કિંમતે એને ઉપલબ્ધ કરાવવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આદરણીય બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ સબમિટ થયેલી એનપીપીપીએની અરજીમાં એન-95 માસ્ક પર ટોચમર્યાદા લાદવાની અપીલ કરવામાં આવી છે, ખાસ કરીને દેશમાં એન-95ના માસ્કની પુરવઠા-માગમાં રહેલા ફરકને ધ્યાનમાં રાખીને. એનપીપીએએ ઉત્પાદકો/આયાતકારો/સપ્લાયર્સને સ્વૈચ્છિક રીતે કિંમતો ઘટાડવા સલાહ આપી હતી. દરમિયાન એનપીપીએએ આજે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા એક સમાચારનું ખંડન કર્યું છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, એનપીપીપીએએ ટાંકેલા કિંમતને મંજૂરી આપી છે, જે માસ્ક માટે સરકારી ખરીદીના દરથી ત્રણ ગણાથી વધારે છે. સમાચારમાં સરકારની ખરીદીના દર ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.…
તમામ દેશવાસીઓને આદર પૂર્વકના નમસ્કાર, કોરોના સંક્રમણનો સામનો કરતા કરતા વિશ્વને અત્યારે ચાર મહિનાથી વધુ સમય થઇ ગયો છે. આ દરમિયાન તમામ દેશોના 42 લાખથી વધુ લોકો કોરોનાની ચેપગ્રસ્ત બન્યા છે. પોણા ત્રણ લાખથી વધુ લોકોના દુઃખદ અવસાન થયા છે. ભારતમાં પણ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હું તે તમામની પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. સાથીઓ, એક વાયરસે આખી દુનિયાને ઉથલ પુથલ કરી નાખી છે. આખા વિશ્વમાં કરોડો જિંદગીઓ સંકટનો સામનો કરી રહી છે. આખી દુનિયા જિંદગી બચાવવાના જંગમાં લાગેલી છે. આપણે આવું સંકટ ના તો જોયું છે, ના તો સાંભળ્યું છે. નિશ્ચિતપણે માનવ જાતિ માટે આ બધું જ અકલ્પનીય છે, આ સંકટ અભૂતપૂર્વ છે. પરંતુ થાકવું, હારવું, તૂટી જવું, વિખેરાઈ જવું એ માનવીને મંજૂર નથી. સતર્ક રહીને, આવા જંગના તમામ નિયમોનું પાલન કરીને, હવે આપણે બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે. આજે જ્યારે દુનિયા સંકટમાં છે ત્યારે આપણે આપણો સંકલ્પ વધુ મજબૂત કરવો પડશે. આપણો સંકલ્પ આ સંકટ કરતા પણ વિરાટ હશે. સાથીઓ, આપણે ગઈ સદીથી જ સાંભળતા આવ્યા છીએ કે 21મી સદી હિન્દુસ્તાનની છે. આપણને કોરોનાની પહેલાની દુનિયાને, વૈશ્વિક વ્યવસ્થાઓને વિસ્તૃત રીતે જોવા સમજવાનો અવસર મળ્યો છે. કોરોના સંકટ પછી પણ વિશ્વમાં જે સ્થિતિઓ બની રહી છે, તેને પણ આપણે સતત જોઈ રહ્યા છીએ. જ્યારે આપણે આ બંને કાળખંડોને ભારતની દ્રષ્ટિએ જોઈએ છીએ તો લાગે છે કે 21મી સદી ભારતની હોય એ આપણું સપનું નથી પણ તે આપણા સૌની જવાબદારી છે. પરંતુ તેનો માર્ગ કયો હશે? વિશ્વની વર્તમાન પરિસ્થિતિ આપણને શીખવાડે છે કે તેનો માર્ગ એક જ છે – “આત્મનિર્ભર ભારત”.…
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. રોગચાળા સામેની લડતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ને કારણે ઊભી થયેલી કટોકટી અણધારી છે, પણ આ લડાઈમાં આપણે આપણી જાતને સુરક્ષિત રાખવાની સાથે આગળ પણ વધતા રહેવાનું છે, પ્રગતિ પણ કરવાની છે. આત્મનિર્ભર ભારત કોવિડ અગાઉની અને પછીની દુનિયા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીને ભારતની સદી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા એ સુનિશ્ચિત કરતા આગળ વધવાનું છે કે દેશ આત્મનિર્ભર બની જાય.કટોકટીને તકમાં પરિવર્તિત કરવા વિશે વાત કરતા તેમણે પીપીઇ કિટ્સ, એન-95 માસ્કના ઉદાહરણો ટાંક્યા હતા, જેનું ઉત્પાદન ભારતમાં લગભગ નગણ્યમાંથી રોજિંદા ધોરણે 2 લાખના આંકડાને આંબી ગયું છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ઉદાર અને વૈશ્વિકૃત દુનિયામાં આત્મનિર્ભરતાનો અર્થ બદલાઈ ગયો છે. તેમણે આ વિશે સ્પષ્ટ સમજણ આપતા કહ્યું હતું કે, જ્યારે દેશ આત્મનિર્ભરતાની વાત કરે છે, ત્યારે એનો અર્થ સ્વકેન્દ્રિતતાથી અલગ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં માને છે અને ભારતમાં પ્રગતિ એ સંપૂર્ણ વિશ્વની પ્રગતિનો ભાગ છે અને એમાં પ્રદાન પણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાને ભરોસો છે કે, ભારત સંપૂર્ણ માનવજાતના વિકાસ માટે ઘણું પ્રદાન કરે છે. આત્મનિર્ભર ભારતનાં પાંચ સ્તંભ ધરતીકંપ પછી કચ્છમાં થયેલા નુકશાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નિર્ણાયકતા અને સંકલ્પ દ્વારા આખા કચ્છ જિલ્લા કે વિસ્તારની કાયાપલટ થઈ ગઈ છે. દેશને સ્વનિર્ભર બનાવવા માટે આ જ પ્રકારની નિર્ણાયકતા અને દ્રઢતાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વનિર્ભર ભારત પાંચ આધાર ધરાવશે એટલે કે અર્થતંત્ર, જે તબક્કાવાર રીતે નહીં પણ હરણફાળ પ્રગતિ કરશે; બીજો પાયો છે માળખાગત સુવિધાઓ, જેને ભારતની ઓળખ બનાવવી પડશે; ત્રણ, વ્યવસ્થા, જે 21મી સદીની ટેકનોલોજીથી સંચાલિત વ્યવસ્થાઓ પર આધારિત હોય; જીવંત વસ્તી, જે સ્વનિર્ભર ભારત માટે આપણી ઊર્જાનો સ્ત્રોત છે; અને માગ, જેમાં આપણી માગ અને પુરવઠાની મજબૂત સાંકળનો સંપૂર્ણ ક્ષમતા સાથે ઉપયોગ કરવો પડશે. તેમણે માગ વધારવા અને એને પૂર્ણ કરવા પુરવઠાની સાંકળમાં તમામ ભાગીદારોને મજબૂત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આત્મનિર્ભર ભારત અભિયાન…
પશ્ચિમ રેલ્વેએ પ્રવાસી શ્રમિકો ને પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને…