ગર્ભગૃહમાં રૂદ્રાભિષેક કર્યો
આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળની મુલાકાત લીધી
મંદાકિની અસ્થાપથ અને સરસ્વતી અસ્થાપથમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી
કેદારનાથ ધામ પ્રોજેક્ટના કામદારો સાથે વાતચીત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથની મુલાકાત લીધી હતી અને શ્રી કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી. પરંપરાગત પહાડી પોશાકમાં સજ્જ, વડા પ્રધાને આંતરિક ગર્ભગૃહમાં રુદ્રાભિષેક કર્યો અને નંદીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળની પણ મુલાકાત લીધી હતી અને મંદાકિની અસ્થાપથ અને સરસ્વતી અસ્થાપથ ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાને કેદારનાથ ધામ પ્રોજેક્ટના કામદારો સાથે પણ વાતચીત કરી હતી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી અને ઉત્તરાખંડના રાજ્યપાલ, નિવૃત્ત જનરલ ગુરમીત સિંહ આ પ્રસંગે પ્રધાનમંત્રીની સાથે હતા.
કેદારનાથ સૌથી મહત્વપૂર્ણ હિન્દુ મંદિરોમાંનું એક છે. આ વિસ્તાર શીખોના પવિત્ર તીર્થસ્થળોમાંના એક – હેમકુંડ સાહિબ માટે પણ પ્રખ્યાત છે. હાથ ધરવામાં આવેલા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને ધાર્મિક મહત્વના સ્થળો સુધી પહોંચવાની સુવિધા આપવા પ્રત્યે વડા પ્રધાનની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.