આવતીકાલે નવી દિલ્હીમાં આયોજિત 75 ઉદ્યોગ સાહસિકોના કોન્ક્લેવ અને 75 સ્વદેશી પશુધન જાતિના પ્રદર્શનના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા મુખ્ય અતિથિ ઉપસ્થિત રહેશે અને તેઓ આ ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગન, અને ડૉ. સંજીવ કુમાર બાલ્યાન, MoS, FAHD આ કાર્યક્રમમાં અતિથિઓ હશે અને કાર્યક્રમમાં સંબોધન પણ કરશે.
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે, સીઆઈઆઈ સાથે મળીને પશુપાલન અને ડેરી વિભાગ, ડેરી અને મરઘાં, ખેડૂતો, નવીન સાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમજ શ્રેષ્ઠ 75 સ્વદેશી જાતિઓ બોવાઇન/કેપ્રિન/એવિયન/પોર્સાઇન પ્રજાતિઓમાંનું પ્રદર્શન કરવા માટે ડિજિટલ પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે.
કોન્કલેવ ખાતેની કોન્ફરન્સ ત્રણ ટેકનિકલ થીમ આધારિત સત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેમકે ઉત્પાદકતામાં વધારો અને પશુ આરોગ્યમાં સુધારો, મૂલ્યવર્ધન અને બજાર જોડાણો અને નવીનતા અને ટેકનોલોજી. ખેડૂતોની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને મુખ્ય વલણો દર્શાવવા, તકને ઓળખવા અને ડેરી અને પોલ્ટ્રી ક્ષેત્ર માટે સ્પષ્ટ રોડમેપ દોરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોન્ક્લેવમાંના સત્રો કેટલાક નવીન ઉકેલો/શ્રેષ્ઠ પ્રથાઓ દર્શાવે છે જે ડેરી અને પોલ્ટ્રી સેક્ટરમાં પરિવર્તન લાવવાની અને ખેડૂતોની આવક વધારવાની ક્ષમતા પ્રદાન કરે છે અને ડેરી અને પોલ્ટ્રી સેક્ટર માટે રોડ મેપ બનાવવાનું લક્ષ્ય રાખશે. તે ઉભરતી તકોનો ઉંડો અભ્યાસ કરશે અને પ્રગતિશીલ ખેડૂતો, ઉદ્યોગસાહસિકો તેમજ સ્ટાર્ટ-અપ્સે કેવી રીતે વેલ્યુ એડિશન, વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો અને બહેતર માર્કેટ એક્સેસ તેમજ ડેરી અને પોલ્ટ્રી સેક્ટરમાં ગતિશીલતા બદલવા અને આવકની ઉન્નત તકો પણ ઊભી કરવામાં મદદ કરશે.
કોન્ક્લેવમાં ડિજિટલ પ્રદર્શન 75 સ્વદેશી પશુધન જાતિઓ અને ડેરી અને પોલ્ટ્રી ખેડૂતો, FPOs, નવીન સાહસિકો, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગોની સફળતાની વાર્તાઓ પ્રદર્શિત કરશે.