ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પદેથી રાજીનામું આપ્યું છે. હાર્દિક પટેલના રાજીનામાને લઈને તેમજ બીજેપીમાં જોડાવવાને લઈને અટકળો ચાલતી હતી. હાર્દિક પટેલ પક્ષની નારાજ હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ કેસરીયા કરે તેવી શક્યતાઓ છે. ઘણા લાંબા સમયથી પક્ષથી નારાજ હતા. તેઓએ આખરે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે.
જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ આવે છે ત્યારે પક્ષપટલો થવાની બાબતો સામે આવતી હોય છે. ત્યારે હાર્દિક પટેલે રાજીનામ આપતાની સાથે જ લખ્યું હતું કે, આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટી પદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાચની જનતા કરશે.
હું માનું છું કે, મારા આ નિર્ણય પછી ભવિષ્યમાં ગુજરાત માટે સાચે જ સકારાત્મકરૂપથી કાર્ય કરી શકીશ. આ પ્રકારની વાતનો ઉલ્લેખ હાર્દિક પટેલે રાજીનામું આપતાની સાથે જ ટ્વિટર હેન્ડલ પરથી કર્યો છે. હાર્દિક પટેલના વારંવાર કોંગ્રેસ સામેના નિવેદનો એક પછી એક સામે આવ્યા રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પણ હાર્દિકની નિવેદનબાજીથી નારાજ હતું ત્યારે આખરે હાર્દિક પટેલે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.