જમ્મૂના 40 કિલોમીટર દૂર પાકિસ્તાનના સ્યાલકોૉ શહેરમાં ઈમરાન ખાન ગત શનિવારના લગભગ નામ-નિહાદ સુરક્ષા વચ્ચે મોટી ભીડને ચીરતા પોતાની રેલીમાં સામેલ થવા માટે પગપાળા જ જઈ રહ્યા હતા. તેમના સમર્થક તેમના નજીક આવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. સાંજ થઈ રહી હતી અને બેકાબૂ ભીડ તેમની નજીક આવવા માટે જોર-જબરદસ્તી કરી રહી હતી. તે સમયે કાંઈ પણ થઈ શકતું હતું. હાલ પાકિસ્તાનમાં સરકાર નામની કોઈ વસ્તુ માત્ર કાગળ પર જ છે. એટલા માટે તેઓ ઈમરાન ખાનના દુશ્મનો માટે સુવર્ણ તક હતી. તેઓ પોતે પણ કહી રહ્યા હતા કે તેમનો જીવ જોખમમાં છે.
ઈસાઈઓએ રેલીને શા માટે રોકી
હકીકતમાં ઈમરાન ખાનને સ્યાલકોટ શહેરના જે સ્થાન પર રેલી કરવાની હતી ત્યાં અંતિમ સમયે તેમને રેલી કરવાથી રોકવામાં આવ્યા. તે સ્થાન ઈસાઈનું બતાવવામાં આવી રહ્યું છે. તેઓએ પોતાના સ્થાન પર કોઈ રાજનૈતિક રેલીને કરવાની પરવાનગી આપવા પર મનાઈ કરી દીધી હતી. તે બાદ ઈમરાન ખાનની રેલી નજીકના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજીત થઈ. ઈસ્લામાબાદમાં રહેનાર પાકિસ્તાનના પ્રખ્યાત પત્રકાર હમજા હબીબ કહે છે કે, તહરિકે-ઈંસાફ પાર્ટીના નેતા ઈમરાન ખાનની રેલીને અંતિમ સમય પર કેન્સલ કરવાનો મતલબ સમજાયો નહીં. તેઓ પહેલાથી જ નક્કી કરેલ સ્થાન પર પહોંચી ગયા હતા. ત્યાં પોલીસ, ઈસાઈઓ તથા ઈમરાન ખાનના સમર્થકોમાં ઘણો બબાલ થયો. તે બાદ રેલીના સ્થાનને તુરંત અન્ય સ્થાન પર બદલવામાં આવ્યું. રેલીના નવા સ્થાને ઈમરાન ખાન જ્યારે સ્ટેજ પર જઈ રહ્યા હતા ત્યારે સેકડો લોકોની ભીડ તેમની નજીક આવી રહી હતી. તેઓ જેમ-તેમ સ્ટેજ પર સુરક્ષિત પહોંચી ગયા.
ક્યાં થયા બે પ્રધાનમંત્રીઓના મર્ડર
પાકિસ્તાનને જાણનાર જાણે છે કે, પહેલા પ્રધાનમંત્રી સાહિબજાદા લિયાકત અલી ખાનની હત્યા 16 ઓક્ટોબર, 1951ના રાવલપિંડીમાં તે સમયે કરવામાં આવી હતી જ્યારે તેઓ એક સભા સંબોધિત કરવાના જ હતા. તેઓએ સ્ટેજ પર આવીને બોલવાનું શરૂ જ કર્યું કે તેમનું ભાષણ સાંભળવા આવેલ એક શખ્સે પોતાના સ્થાન પરથી ઉઠી અને તેને લીયાકત અલી ખાનને ગોળી મારી દીધી. આ ઘટના રાવલપિંડીના કંપની બાગમાં થઈ હતી. તે સમયે તેને ઈસ્ટ ઈન્ડિયા કંપની બાગ પણ કહેવામાં આવતું હતું.
અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરેલ અયૂબ ખાન પર મોહમ્મદ અલી જિન્નાની બહેન ફાતિમા જિન્નાની 1967માં પણ હત્યા કરવાનોનો આરોપ લાગ્યો હતો. કલકત્તાથી ડેંટલ સર્જનની ડિગ્રી લેનાર ફાતિમા જિન્નાએ 1967માં અયૂબ ખાન વિરુદ્ધ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી હતી. લિયાકત અલી ખાનના મર્ડર બાદ બેનજીર ભુટ્ટોની હત્યા પણ રાવલપિંડીમાં 27 ડિસેમ્બર 2007ના થઈ હતી. બેનજીર ભુટ્ટો પર હુમલો કરનાર આત્મઘાતી હુમલો કરનારની ઓળખ સઈદ બિલાલના રૂપમાં થઈ હતી. પરંતુ તે કેસની સચ્ચાઈ હજી સુધી સામે આવી નથી. જો કે, આરોપ લાગ્યો હતો કે, તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ પરવેજ મુશર્રફ બેનજીર ભુટ્ટોને મરાવવા ઈચ્છતા હતા.