આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ આ બાબતનું ધ્યાન રાખવું રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે આ બાબતોની ખાસ કાળજી રાખવી. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ-પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ, સરકાર માન્ય એગ્રીકલ્ચર યુનીવર્સીટી અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી ખરીદી બીલ સહી સાથે અવશ્ય લેવું. જેમાં એનો લાયન્સસ નંબર, પુરૂ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પુરી થવાની વિગત દર્શાવેલ હોય. વધુમાં બિયારણની થેલી સીલબંઘ છે કે કેમ, તેમજ મુદ્દત પુરી થઇ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહી. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણ/ડુપ્લીકેટ બિયારણ ગામડામાં સીધા ખેડૂતોને વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબધિત એગ્રીકલ્ચર ઇન્સપેક્ટર અથવા જિલ્લાના તમામ નાયબ ખેતી નિયામકશ્રી-વિસ્તરણને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ-થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવું જરૂરી છે. તેમ દાહોદનાં નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)એ એક યાદીમાં જણાવ્યું છે.