મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદી હસ્તકના વિભાગો દ્વારા નાગરિકોને જનસુખાકારીના લાભ સત્વરે પૂરા પાડવા લેવાયેલા નિર્ણયો ના સંકલિત પુસ્તક ‘સેવાયજ્ઞ’ ‘‘રરર દિવસ-રરર નિર્ણયો’’નું રાજ્ય મંત્રીમંડળની બેઠક પછી ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, પ્રવાસન વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ તથા યાત્રાધામ વિકાસ વિભાગ દ્વારા જનહિતના જે નિર્ણયો કરવામાં આવેલા છે તે તમામ નિર્ણયોને આ પુસ્તકમાં આવરી લેવાયા છે.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની રાજ્ય સરકારે રરર દિવસ પૂર્ણ કર્યા છે તેના ભાગરૂપે આ રરર નિર્ણયોને પુસ્તક સ્વરૂપે સંકલિત કરીને જન ઉપયોગ માટે પ્રકાશિત કરવામાં આવ્યા છે.
રાજ્ય મંત્રીમંડળના સૌ સભ્યો આ પુસ્તક વિમોચન અવસરે ઉપસ્થિત રહ્યા હતા.