લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા તથા જીલ્લા કક્ષાએ “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ તા.૨૫ મે ૨૦૨૨ તથા જીલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ તા.૨૬મે ૨૦૨૨ના રોજ યોજાશે. નિવાસી
અધિક કલેકટર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર તાલુકા કક્ષાએ દરમાસના ચોથા બુધવારે યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમ મે-૨૦૨૨માં તા.૨૫ મે ૨૦૨૨ના રોજ સંબધિત મામલતદાર કચેરીએ યોજાનાર છે. અરજદાર એ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતગર્ત તેમના પ્રશ્નો, ફરિયાદો તા.૧૦મે ૨૦૨૨ સુધીમાં સંબધિત મામલતદાર કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ છે. જેથી તેનો સમાવેશ તાલુકા કક્ષાએથી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરી તેનો આખરી નિકાલ કરી શકાય. જીલ્લા કક્ષાએ દરમાસના ચોથા ગુરુવારે યોજાનાર જીલ્લા સ્વાગત કાર્યક્રમ મે-૨૦૨૨માં તા.૨૬ મે ૨૦૨૨ના રોજ કલેકટર કચેરી, જીલ્લા સેવાસદન, સુભાષબ્રીજ સર્કલ, જુના વાડજ, અમદાવાદ-૩૮૦૦૨૭ ખાતે યોજાનાર છે. અરજદાર એ જીલ્લા સ્વાગત કાર્યક્રમ અંતગર્ત તેમના પ્રશ્નો, ફરિયાદો તા.૧૦ મે ૨૦૨૨ સુધીમાં સંબધિત કલેકટર કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ છે. જેથી તેનો સમાવેશ જીલ્લા કક્ષાએથી જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરી તેનો આખરી નિકાલ કરી શકાય