ડાયમંડ સિટી એટલે સુરત શહેર સુરતનો તૈયાર થયેલ હીરો વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે હાલમાં હીરાની ચમક ધીમે ધીમે ઝાંખી પડી રહી છે જેને પગલે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે નવરા બેઠા બેઠા વેપારીઓ ધૂન બોલાવીને અચ્છે દિનની રાહ જોઈ રહ્યા છે… વી 1 હિરા બજારમાં મદીનું મોજુ ફરી વળ્યુ છે ત્યારે હીરા બજારમાં છેલ્લા 20 દિવસથી કોઈ લે વેચ થઈ નથી જેને પગલે મુશ્કેલીમાં મુકાય છે કારણ કે જે રીતે એક મહિના પહેલા રફના ભાવમાં ઉછાળો આવ્યો હતો બાદમાં એ જ રફ ના ભાવ નીચે આવતા વેપારીઓ પણ મુશ્કેલમાં મુકાયા છે એટલું નથી રફ હીરા તૈયાર થયા બાદ 30 વેચાણમાં માઈન્સ જોવા મળી રહ્યો છે ..ત્યારે હાલમાં હીરા બજારમાં મંદી ને પગલે છેલ્લા ધણા સમયથી કોઈ લે વેચ થતી નથી જેને પગલે વેપારીઓ નવર બેઠા બેઠા ધૂન બોલાવીને અચ્છે દિન કબ આયેગી ની રાહ જોઈને ભગવાન ને પ્રાથના કરી રહ્યા છે..ધૂન બોલાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ વિડીયો હીરા બજાર સાથે સંકળાયેલ લોકોના કહેવા પ્રમાણે વિડીયો સુરતની હીરા બજાર નો છે …જોકે તાજેતરમાં અમેરીકાએ રશિયાની ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકી દેતા સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત સર્જાય રહી છે . પ્રતિબંધમાં આવેલી અલરોસા કંપની વિશ્વમાં 30 ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે, તેના સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ પણ આવે છે. હવે મુંબઇ-ગુજરાતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત વર્તાશે હીરા ઉદ્યોગે હાલમાં પેમેન્ટ ક્રાઇસીસનો પણ સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટર મયુર મિસ્ત્રી સુરત યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ વિશ્વની મોટા ભાગની કંપનીઓએ રશિયાની કંપનીના બેંકિંગ વ્યવહારો સ્થગિત કરી દીધા છે. ભારતના હીરા ઉદ્યોગપતિઓ દુબઇ, બેલ્જિયમ તેમજ ભારતની જ કેટલીક પ્રાઇવેટ સેક્ટર બેંક થકી પેમેન્ટ કરીને કાચા હીરાનો સપ્લાય મેળવી શક્તા હતા. પરંતુ કેટલાક દિવસોથી દુબઇ, બેલ્જિયમ અને ભારતની બેંકોમાંથી થતાં પેમેન્ટ પણ બંધ થયા હોય હીરા ઉદ્યોગપતિઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે… સુરત ડાયમંડ એસોસિયશન સેકેટરી દામજી ભાઈ માવાણી એ વાઈબ ઓફ ઈન્ડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માં મંદીનું વાતાવરણ છે અને વૈશ્વિક આર્થિક મંદી છે ધણા દેશનો મંદી છે યુદ્ધને કારણે અમેરિકા માં મંદી નો માહોલ જોવા મળ્યો છે ….મોંઘવારી ઐતિહાસિક મોંઘવારી છે ..ત્યારે હાલમાં સુરત ની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આસર જોવા મળી રહી છે ત્યારે હાલમાં મંદી ના માહોલ ને લઈને વેપારીઓ નવરા હોવાથી સમય પસાર કરવા માટે ધૂન બોલાવતા હોય છે એમાં કોઈ નવાઈ છે આ મંદી ટૂંકાગાળા ની છે જેવું યુધ્ધ બંધ થાય એટલે તુરંત ફરીથી હીરા ઉદ્યોગ પાટા પ્ર આવી જશે….