આજકાલ દોડધામ વાળા જીવનમાં આ સમસ્યા સામાન્ય એવી થી ગઈ છે, અને એલોપેથીમાં તેનો ઈલાજ પણ નથી, બસ જીવન આખું દવાઓ લેતા રહો, અને આરામ જરા પણ નહી.
થાઈરોઈડ માનવ શરીરમાં મળી આવતા એન્ડોક્રાઈન ગ્લેન્ડ માંથી એક છે. થાઈરોઈડ ગ્રંથી ગરદનમાં શ્વાસ નળીની ઉપર અને સ્વર યંત્રની બન્ને તરફ બે ભાગમાં બનેલી હોય છે. તેનો આકાર તિતલી જેવો હોય છે. તે થાઈરોકસીન નામના હાર્મોન માંથી બને છે જેનાથી શરીરના ઉર્જા ક્ષય, પ્રોટીન ઉત્પાદન અને બીજા હાર્મોન દ્વારા થતી સંવેદનશીલતા નિયંત્રિત થાય છે.
થાઈરોઈડ ગ્રંથી તિતલી જેવા આકારની હોય છે. જે ગળામાં મળી આવે છે. આ ગ્રંથી ઉર્જા અને પાચનની મુખ્ય ગ્રંથી છે. તે એક જાતની માસ્ટર લીવર જેવું છે. જે એવા જીન્સનો સ્ત્રાવ કરે છે. જેથી કોશિકાઓ પોતાનું કાર્ય સારી રીતે કરે છે. આ ગ્રંથીનું સારી રીતે કામ ન કરી શકવાને કારણે ઘણી જાતની સમસ્યાઓ થાય છે. આ લેખમાં વિસ્તારથી જાણો થાઈરોઈડ ફંક્શન અને તેના ઉપચાર વિષે.
થાઈરોઈડને સાઈલેંટ કિલર ગણવામાં આવે છે, કેમ કે તેના લક્ષણો વ્યક્તિને ધીમે ધીમે ખબર પડે છે અને જ્યારે આ બીમારીનું નિદાન થાય છે. ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. ઈમ્યુન સિસ્ટમમાં ગડબડથી શરૂઆત થાય છે. પણ મોટાભાગના એન્ટી શરીર ટેસ્ટ નથી કરતા જેથી ઓટો ઈમ્યુનિટી જોવા મળે છે.
આ ગ્રંથી શરીરમાં મેટાબોલીજ્મને નિયંત્રિત કરે છે. એટલે જે ભોજન આપાણે ખાઈએ છીએ તે ઉર્જા માં બદલવાનુ કામ કરે છે.
તે ઉપરાંત તે હ્રદય, માંસપેશીઓ, હાડકા અને કોલેસ્ટ્રોલને પણ અસર કરે છે.
સામાન્ય રીતે શરૂઆતના સમયમાં થાઈરોઈડના કોઈપણ લક્ષણની ખબર સરળતાથી નથી પડતી, કેમ કે ગરદનમાં નાની એવી ગાંઠ સામાન્ય ગણવામાં આવે છે. અને જ્યાં સુધી તેને ગંભીરતાથી લેવામાં આવે છે, ત્યાં સુધી તે ગંભીર સ્વરૂપ લઇ લે છે.
છેવટે શું કારણ હોઈ શકે છે? જેથી થાઈરોઈડ થાય છે.
૧) થાઈરોઈડ તે માત્ર એક વધેલા થાઈરોઈડ ગ્રંથી (ધેંધા) છે, જેમાં થાઈરોઈડ હાર્મોન બનાવવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.
૨) ઇસોફલાવોન ઘન સોયા પ્રોટીન, કેપ્સ્યુલ, અને પાવડરના સ્વરૂપમાં સોયા ઉત્પાદનોની જરૂરથી વધુ ઉપયોગથી પણ થાઈરોઈડ થવાના કારણો હોઈ શકે છે.
૩) ઘણી વખત અમુક દવાઓની આડ અસરથી પણ થાઈરોઈડનું કારણ બને છે.
૪) થાઈરોઈડની સમસ્યા પીટ્યુટરી ગ્રંથીને કારણે પણ થાય છે કેમ કે તે થાઈરોઈડ ગ્રંથી હાર્મોનના ઉત્પાદન કરવાનો સંકેત નથી આપી શકતી.
૫) ભોજનમાં આયોડીનની ઉણપ કે વધુ ઉપયોગ પણ થાઈરોઈડની સમસ્યા ઉત્પન્ન કરે છે.
૬) માથું, ગરદન અને ચેસ્ટના વિકિરણ થેરેપી ને કારણે કે ટોસીલ્સ, લીમ્ફ નોડસ, થાઈમસ ગ્રંથીની સમસ્યા કે મુંહાસે માટે વિકિરણ ઉપચાર ને કારણે.
૭) જયારે તનાવનું સ્તર વધે છે તો તેની સૌથી વધુ અસર થાઈરોઈડ ગ્રંથી ઉપર પડે છે. તે ગ્રંથી હાર્મોનના સ્ત્રાવ ને વધારી દે છે.
૮) જો તમારા કુટુંબમાં કોઈને થાઈરોઈડની સમસ્યા છે તો તમને થાઈરોઈડ થવાની શક્યતા વધુ રહે છે. આ થાઈરોઈડનું સૌથી ખાસ કારણ છે.
૯) ગેવ્સ રોગ થાઈરોઈડનું સૌથી મોટું કારણ છે. તેથી થાઈરોઈડ ગ્રંથીમાંથી થાઈરોઈડ હાર્મોનનો સ્ત્રાવ ઘણો વધી જાય છે. ગેવ્સ રોગ મોટાભાગે ૨૦ થી ૪૦ ની ઉંમર વચ્ચે જ મહિલાઓ ને અસર કરે છે, કેમ કે ગેવ્સ રોગ વારસાગત કારણો સાથે જોડાયેલ વારસાગત વિકાર છે, તેથી થાઈરોઈડ રોગ એક જ કુટુંબમાં ઘણા લોકોને અસર કરી શકે છે.
૧૦) થાઈરોઈડના આગળના કારણો છે ગર્ભાવસ્થા, જેમાં પ્રસુતિનો સમય પણ જોડાયેલ છે. ગર્ભાવસ્થા એક સ્ત્રી ના જીવનમાં એવો સમય હોય છે. જયારે તેના આખા શરીરમાં મોટા પ્રમાણમાં ફેરફાર થાય છે, અને તે તનાવમાં રહે છે.
11) રજોનિવૃત્તિ પણ થાઈરોઈડનું કારણ છે. કેમ કે રજોનિવૃત્તિના સમયે એક મહિલામાં ઘણા પ્રકારના હાર્મોનલ ફેરફાર થાય છે. જે ઘણી વખત થાઈરોઈડનું કારણ બને છે.
થાઈરોઈડના લક્ષણો :
૧) કબજીયાત :–
થાઈરોઈડ થવાથી કબજિયાતની સમસ્યા શરુ થઇ જાય છે. ખાવાનું પચાવવામાં તકલીફ થાય છે. સાથે જ ખાવાનું સરળતાથી ગળાથી નીચે નથી ઉતરતું. શરીરના વજન ઉપર પણ અસર પડે છે.
૨) હાથ પગ ઠંડા રહેવા :–
થાઈરોઈડ થવાથી માણસના હાથ પગ હંમેશા ઠંડા રહે છે. માનવ શરીરનું તાપમાન સામાન્ય એટલે ૯૮.૪ ડીગ્રી ફોરનહાઈટ (૩૭ ડીગ્રી સેલ્સિયસ) હોય છે, પણ છતાંપણ તેમના શરીર અને હાથ પગ ઠંડા રહે છે.
૩) પ્રતિરોધક ક્ષમતા નબળી થવી :–
થાઈરોઈડ થવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ બનલી થઇ જાય છે. ઈમ્યુન સીસ્ટમ નબળી થવાને લીધે તેને ઘણી બીમારીઓ થઇ શકે છે.
૪) થાક :-
થાઈરોઈડની તકલીફથી પીડિત માણસને જલ્દી થાક લાગવા લાગે છે. તેનું શરીર સુસ્ત રહે છે. તે આળસુ થઇ જાય છે અને શરીરની ઉર્જા ખલાસ થવા લાગે છે.
૫) ત્વચાનું સુકાવું કે ડ્રાઈ થવી :-
થાઈરોઈડથી પીડિત વ્યક્તિની ત્વચા સુકાવા લાગે છે. ત્વચામાં સુકાપણું આવી જાય છે. ત્વચાના ઉપરના ભાગના સેલ્સની ક્ષતિ થવા લાગે છે જેથી ત્વચા રૂખી સુકી થઇ જાય છે.
૬) તાવ આવવો :-
થાઈરોઈડ થવાથી માણસને તાવ આવવા લાગે છે. એ સામાન્ય તાવથી જુદો હોય છે અને ઠીક નથી થતો.
૭) ડીપ્રેશન :-
થાઈરોઈડની સમસ્યા થવાથી માણસ હંમેશા ડીપ્રેશનમાં રહેવા લાગે છે. તેનું કોઈ કામમાં મન નથી લાગતું, મગજ ની સમજવા વિચારવાની શક્તિ નબળી થઇ જાય છે. યાદશક્તિ પણ નબળી થઇ જાય છે.
૮) વાળ ખરવા :-
થાઈરોઈડ થવા થી માણસના વાળ ખરવા લાગે છે અને ટાલીયાપણું થવા લાગે છે. સાથે જ સાથે તેની ભ્રમરના વાળ પણ ખરવા લાગે છે.
૯) માંસપેશીઓ અને સાંધામાં દુ:ખાવો :-
માંસપેશીઓ અને સાંધામાં દુ:ખાવા સાથે જ સાથે નબળાઈનું હોવું પણ થાઈરોઈડની સમસ્યાના લક્ષણ હોઈ શકે છે.
૧૦) શારીરિક અને માનસિક વિકાસ :-
થાઈરોઈડની સમસ્યા થવાથી શારીરિક અને માનસિક વિકાસ ધીમો થઇ જાય છે.
જો તમને આવા કોઈપણ લક્ષણ જોવા મળે છે તો તમારા ડોક્ટરનો સંપર્ક કરો તમને થાઈરોઈડની સમસ્યા થઇ શકે છે.
વધુ અસરકારક ઘરેલું ઉપાય :-
૧) સવારે ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવો, ઘરમાં જ ઘઉંના જવારાનું જ્યુસ કાઢીને પીવો, ત્યાર પછી એક ગ્લાસ પાણીમાં દરરોજ ૩૦ મિલી એલોવેરા જ્યુસ અને ૨ ટીપા તુલસી નાખીને પીવો, એલોવેરા જ્યુસ તમને કોઈ મોટી કંપનીનું જ્યુસ લેવું પડશે, જેમાં ફાઈબર વધુ હોય, માત્ર કોરું પાણી ન હોય. બજારમાં આજકાલ પંચ તુલસી ઘણી આવી રહેલ છે, કોઈ મોટી કંપની કે કુદરતી પંચ તુલસી લો. આ બધું કરવાના અડધા કલાક સુધી કાંઈ જ ન ખાવું પીવું, તે સમયે તમારે પ્રાણાયામ કરવા.
૨) અખરોટ અને બદામ છે ફાયદાકારક :-
અખરોટ અને બદામમાં સેલેનિયમ નામનું તત્વ મળી આવે છે. જે થાઈરોઈડની સમસ્યા ના ઉપચારમાં ફાયદાકારક છે. ૧ આખી અખરોટમાં ૫ માઈક્રોગ્રામ સેલેનિયમ હોય છે. અખરોટ અને બદામના સેવનથી થાઈરોઈડ ના કારણે ગળામાં થતા સોજામાં પણ ઘણે અંશે ઓછુ કરી શકાય છે. અખરોટ અને બદામ સૌથી વધુ ફાયદાકારક હાઈપોથોયરાઇડીજ્મ (થાઈરોઈડ ગ્રંથીનું ઓછું એક્ટીવ થવું) માં કરે છે.
તેની સાથે રાત્રે સુતા સમયે ગાયનું ગરમ દૂધ સાથે ૧ ચમચી અશ્વગંધા ચૂર્ણનું સેવન કરો.
તેની સાથે પ્રાણાયામ કરવાના છે, જેથી ઉજ્જાઈ પ્રાણાયામ કહે છે. આ પ્રાણાયામમાં ગળાને સંકુચિત કરીને પૂરી તાકાત થી ઉપરથી શ્વાસ લેવાનો છે.
૩) સફેદ મીઠું છે ઘણું નુકશાનકારક :-
આજકાલ જે બજારમાં સફેદ મીઠું આપણેને આયોડીનના નામ થી ખવરાવવામાં આવી રહેલ છે, ભલે તે કેટલી પણ મોટી કંપની હોય, માત્ર સામાન્ય માણસને મુર્ખ બનાવવા માટે છે. મીઠું માત્ર સિંધા કે કાળું જ ઉપયોગ કરો.
૪) કાળા મરી :-
થાઈરોઈડ માટે કાળા મરીનો ઉપયોગ ઘણો ફાયદાકારક સાબિત થાય છે. કાળા મરીને યથા સંભવ નિયમિત ઉપયોગ ભલે તે કોઈપણ પ્રકારના હોય, થાઈરોઈડ માટે ઘણા જ ઉપયોગી છે.
૫) અળસી છે ફાયદાકારક :-
એક ચમચી અળસીને થોડા કરકરું વાટી ને દહીંમાં નાખીને તેની સાથે પાંદડા તુલસીના નાખીને સેવન કરો.