ચંદ્ર પર પગ રાખનારા પહેલા વ્યક્તિ હતા નીલ આર્મસ્ટ્રોંગ, પરંતુ તેમનાથી પણ પહેલા કોઈ ત્યાં પહોંચી ગયું હતુ. માનવામાં આવે છે કે તેમનાથી 6.6 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર ચંદ્ર પર પહોંચી ગયું હતુ. ઓછામાં ઓછા તેના અંશો ત્યાં મળવાની સંભાવના પીટર બ્રેનના વર્ષ 2017માં આવેલા પુસ્તક ‘ધ એન્ડ ઑ ધ વર્લ્ડ’માં વ્યક્ત કરવામાં આવી છે જે અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. બ્લોગર મૈટ ઑસ્ટિને પુસ્તકનો કેટલોક ભાગ ટ્વિટર પર શેર કર્યો છે.
માનવામાં આવે છે કે ડાયનાસોર વિલુપ્ત થવા પાછળ એક એસ્ટરોઇડ ધરતી સાથે ટકરાયો હતો તે કારણ હતુ. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે આ એસ્ટરોઇડ ધરતીથી ટકરાયો તો કાટમાળ ચંદ્ર પર જઇ પહોંચ્યો. બ્રેનન એક એવૉર્ડ વિજેતા વિજ્ઞાન પત્રકાર છે. તેમણે લખ્યું છે કે આ એસ્ટરોઇડ માઉન્ટ એવરેસ્ટથી પણ મોટો હતો અને કોઈ તેજ ગોળીથી પણ વધારે ઝડપથી ધરતી તરફ આવ્યો હતો. પુસ્તકમાં જિયોફિઝિસિસ્ટ મારિયો રેબોલેડોના કહ્યા પ્રમાણે લખવામાં આવ્યું છે કે એસ્ટેરોઇડનું અટમોસ્ફીરિક પ્રેશર એટલું વધારે હતુ કે તેની ટક્કર પહેલા જ ધરતી પર ખાડા પડવા લાગ્યા હતા.
આમાં લખવામાં આવ્યું છે કે આ એસ્ટેરોઇડ એટલો વિશાળ હતો કે વાયુમંડળમાં દાખલ થવા પર તેને કોઈ નુકસાન નહોતુ થયું અને તે સંપૂર્ણ રીતે જમીન પર આવી પહોંચ્યો. બ્રેનનું કહેવું છે કે એસ્ટરોઇડથી પેદા થયેલા દબાવના કારણે ઉપર આકાશમાં હવાની જગ્યાએ વેક્યૂમ પેદા થઈ ગઈ હતી. આ વેક્યૂમને ભરવા માટે હવા વહી તો ધરતીના ટુકડા ભ્રમણકક્ષામાં આગળ નીકળી ગયા. બ્રેનને રિબોલેડોને પુછ્યું કે, બની શકે છે કે ડાયનાસોરના હાડકાં ચંદ્ર પર હોય.