રાજપીપળાના નિયત ઘરો-વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તેમજ બફર ઝોન જાહેર કરાયા !

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.13/03/2020ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – 1897 અન્વયે The Gujarat Epidemic Diseases Covid-19 Regulations – 2020 જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

અત્રેના જિલ્લાના નાંદોદ તાલુકાઓમાં COVID-19 ના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કે.ડી.ભગતે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–30 તથા કલમ-34 તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,1897 ની કલમ–2 અન્વયે મળેલ સત્તાની રૂએ તા.02/01/2021 થી તા.15/01/2021 સુધી કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે.

તદઅનુસાર,ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ રાજપીપળા નગરપાલિકા વિસ્તારના ટેકરા ફળિયા – વિજયભાઈ રણજીતભાઈ વસાવાના ઘરથી યોગેશભાઈ દિપકભાઈ વસાવાના ઘર સુધી જેમા ઘરોની કુલ સંખ્યા આશરે-05 અને કુલ વસ્તી આશરે-12, આદિત્ય -2 – જનકભાઈ નટવરભાઈ બારોટના ઘરથી કમલભાઈ હરેશભાઈ પટેલના ઘર સુધી જેમા ઘરોની કુલ સંખ્યા આશરે-05 અને કુલ વસ્તી આશરે-14 તેમજ નાંદોદ તાલુકાનું ભદામ ગામના સરદાર ચોક – દિગ્વિજય પન્નાલાલ પટેલના ઘરથી વિજયભાઈ પરસોત્તમભાઈ પટેલના ઘર સુધી જેમા ઘરોની કુલ સંખ્યા આશરે-09 અને કુલ વસ્તી આશરે-32, ઉમરવા ગામની નવી વસાહત – રૂકકડીયાભાઈ શ્રવણભાઈ ભિલાલાના ઘરથી વાલસીંગભાઈ સાથડીયાભાઈ વણકરના ઘર સુધી જેમા ઘરોની કુલ સંખ્યા આશરે-03 અને કુલ વસ્તી આશરે-21 દર્શાવાઈ છે, જેને COVID-19 Containment Area તરીકે જાહેર કરાયા છે.

તદઅનુસાર,Containment Area તરીકે જાહેર કરાયેલા જિલ્લાના ઉક્ત વિસ્તારમાં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ આરોગ્ય ટીમ દ્વારા 100% થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગના નક્કી કરેલા પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કાર્યવાહી કરવાની રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સુધીના વિસ્તાર સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે અને આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. જેથી એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના અન્ય કોઈ પણ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ કે વાહન પ્રવેશી ન શકે કે બહાર ન જઈ શકે.

આરોગ્ય ટીમે તમામ વ્યક્તિ તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે. આ વિસ્તારમાં બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહી તથા આ વિસ્તારના રહેવાસી કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં. આ વિસ્તારના એક જ એન્ટ્રી/ એકઝીટ પોઈન્ટ પર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજવસ્તુઓની જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને 24*7 રાઉન્ડ ધ કલોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે. આ કન્ટેન્ટમેન્ટ એરિયા (Containment Area) માં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે. આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. આ વિસ્તારના તમામ રહેવાસીઓ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે તે સ્થાનિક વહીવટીતંત્રએ સુનિશ્ચિત કરવાનું રહેશે. ભારત સરકારના Containment Area પ્લાનની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.

તદઉપરાંત, રાજપીપળા નગરપાલિકા વિસ્તારના ટેકરા ફળિયા – રવિભાઈ મોહનભાઈ વસાવાના ઘરથી સંજયભાઈ મહેશભાઈ વસાવાના ઘર સુધી, આદિત્ય – 2 – નગીનભાઈ ઈશ્વરભાઈ પટેલના ઘરથી પ્રકાશભાઈ ચીમનભાઈ પંચોલીના ઘર સુધી તેમજ નાંદોદ તાલુકાનું ભદામ ગામના સરદાર ચોક – પંકજભાઈ ચતુરભાઈ પટેલના ઘરથી ચંદુભાઈ છીતાભાઈ પટેલના ઘર સુધી, ઉમરવા ગામની નવી વસાહત – જગદીશભાઈ કનકસિંહભાઈ ભિલ્લાના ઘરથી ચિંદરભાઈ રતનભાઈ ભિલ્લાના ઘર સુધીને COVID-19 બફર ઝોન (Buffer Zone) તરીકે જાહેર કરીને આ ઝોનની હદને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બફર એરીયામાં આવતા વિસ્તાર માટે દર્શાવાયેલ અપવાદની બાબતોમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત), આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ સઘન સર્વેલન્સની કામગીરી કરવાની રહેશે તથા નિવારક પગલાંના ભાગરૂપે માસ્ક, વારંવાર હાથ ધોવા, વ્યક્તિગત સફાઈ, સામાજીક અંતર વગેરે જેવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે.

આ જાહેરનામાની અમલવારી તા.02/01/2021 થી તા.15/01/2021 સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – 188 તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ-સબ-ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.