સુમેધ મુદ્ગલકર અને મલ્લિકા સિંહ અભિનીત શોની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, ત્યારબાદ નિર્માતાઓએ મહાભારત ટ્રેક રજૂ કર્યો હતો. જેની પ્રેક્ષકોએ જોવાની મજા ન લીધી અને નિર્માતાઓને રાધા અને કૃષ્ણનો પ્રેમ ઓન-સ્ક્રીન પર પાછા લાવવા વિનંતી કરી, તે તબક્કો અનિવાર્ય હતો કારણ કે તે કૃષ્ણના જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો હતો.
હવે આપણી પાસે માહિતી છે કે શોનો અંત ટૂંક સમયમાં આવી શકે છે. સૂત્રો અમને જણાવે છે કે મોટા ભાગના કલાકારોએ શૂટિંગને આટોપી લેવાનું નક્કી કર્યુ છે અને હવે તેઓ ક્રિષ્નાના મૃત્યુ ક્રમનું શૂટિંગ કરશે. આ દરમિયાન, રાધા પોતાની વાસ્તવિક ઓળખ – આદિ શક્તિ વિશે જાણશે.
