સુરતમાં શહેરી પરિવહન ક્ષેત્રમાં નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. સુરત મહાનગરપાલિકાના પ્રયાસોથી દેશનો સૌથી લોન્ગેસ્ટ 108 કિલોમીટરનો BRTS કોરિડોર બન્યો છે. હાલમાં કુલ-102 કિમીનાં BRTS કોરિડોરમાં કુલ-13 રૂટ ઉપર 166 થી વધુ બસો કાર્યરત છે. જેમાં દરરોજ 1.03 લાખથી વધુ મુસાફરો આવાગમન કરે છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુંભારિયાથી કડોદરા (06 કિમી લંબાઈ),ના રૂટનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
સુરત શહેરમાં વર્ષ 2007માં જાહેર પરિવહન ઉપલબ્ધ ન હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાની રોજબરોજની પરિવહનની જરૂરિયાત ધ્યાને લઇ પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવાની પહેલ કરી અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સિટીલિંક લિ. નામની પબ્લિક ટ્રાન્સપોર્ટ કંપની બનાવવામાં આવી. સુરત મહાનગરપાલિકા દ્વારા તા.26/01/2014 નાં રોજ BRTS બસ સેવા ઉધના દરવાજા-સચિન જી.આઈ.ડી.સી. વચ્ચે 12 કિમીનાં રૂટ ઉપર શરૂ કરવામાં આવી હતી.
આ ઉપરાંત મગદલ્લા, સિટીલાઈટ, ઉધના દરવાજાથી સચિન જીઆઇડીસી નાકા, ઓએનજીસી કોલોની-કેનાલ રોડ-સરથાણા જકાતનાકા, અડાજણ પાટિયાથી જહાંગીરપુરા, અડાજણ પાટિયાથી પાલ આરટીઓ કોરિડોર, પાલ આરટીઓ ઓએનજીસી કોલોની, અણુવ્રત દ્વારથી સેન્ટ થોમસ સ્કૂલ જંકશન કોરિડોર, સેન્ટ થોમસ સ્કૂલ જંકશનથી દક્ષેશ્વર મહાદેવ જંકશન, ડિંડોલી વારિગૃહથી હિરાબાગ/ગજેરા સર્કલ, હીરાબાગથી લેક ગાર્ડન, જહાંગીરપુરા, કતારગામ દરવાજાથી કોસાડ સર્કલ એમ કુલ 13 કોરિડોરનો સમાવેશ થાય છે.
