પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગતસિંહને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મા ભારતીના વીર સપૂત અમર શહીદ ભગત સિંહને જયંતી પર દિવ્ય કોટી-કોટી નમન. વીરતા અને પરાક્રમની તેમની ગાથા દેશવાસીઓને યુગો-યુગો સુધી પ્રેરણા આપતી રહેશે.