ભારતે એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલાઓની સંખ્યામાં નવું શિખર સર કર્યું

ભારતે એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલાઓની સંખ્યામાં નવું શિખર સર કર્યું છે.

પાછલા 24 કલાકમાં હોમ/સુવિધાની દેખરેખ હેઠળની સંભાળ અને હોસ્પિટલોમાંથી 87,472 સક્રિય કેસના દર્દીઓ સાજા થયા છે અને રજા આપવામાં આવી છે.

છેલ્લા 11 દિવસોથી ભારત સતત 7૦,૦૦૦થી વધુની દૈનિક સાજા થયેલાઓની સંખ્યામાં ખૂબ જ ઉચ્ચ કક્ષાની નોંધણી કરી રહ્યું છે.

સાજા થવાનો દર આજે વધીને 78.86%થયો છે. કુલ સાજા થયેલા કેસની સંખ્યા 41,12,551થઇ ગઈ છે.

સાજા થયેલા કેસ સક્રિય કેસ કરતા 4.04 ગણા થઈ ગયા છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર 30,94,797 થઈ ગયું છે.   

તીવ્ર સક્રિય કેસ ધરાવતા ટોચના 5 રાજ્યોમાંથી હાલમાં વધુ પ્રમાણમાં સાજા થયેલા લોકોની સંખ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

ખૂબ જ ઉચ્ચ સ્તરે સાજા થવાનારાની સંખ્યાનો સતત દોર એ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ અસરકારક તબીબી વ્યવસ્થાપન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલની સાક્ષી છે જે નવા પુરાવાઓના ઉદભવ સાથે સમયાંતરે અપડેટ કરવામાં આવે છે. આરોગ્ય મંત્રાલય એઈમ્સ સાથે સક્રિય સહયોગથી ‘રાષ્ટ્રીય ઈ-આઇસીયુ ઓન કોવિડ-19 મેનેજમેંટ’ કવાયત હાથ ધરી રહ્યું છે, જે રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશો હોસ્પિટલોના આઇસીયુ ડોકટરોને શ્રેષ્ઠતા કેન્દ્રો દ્વારા સંભાળે છે. મંગળવાર અને શુક્રવારે અઠવાડિયામાં બે વાર યોજાયેલા, આ સત્રોએ ભારતના નોંધપાત્ર સાજા થવાના દરને અને કેસના પ્રજનન દરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. અત્યાર સુધીમાં દેશના 28 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની 249 હોસ્પિટલોને આવરી લેતી આવી 19 રાષ્ટ્રીય ઇ-આઇસીયુ યોજાઇ છે.

ભારતે પણ ‘ઇન્વેસ્ટીગેશનલ થેરાપીઝ’ જેવા રેમેડિઝવીર, કlન્વેલેસન્ટ પ્લાઝ્મા અને ટોસિલીઝુમાબના તર્કસંગત ઉપયોગની મંજૂરી આપી છે અને કોવિડ દર્દીઓની રીકવરીમાં મદદ કરવા માટે, ઉચ્ચ પ્રવાહના ઓક્સિજનનો ઉપયોગ, નોન-ઇન્વેસિવ વેન્ટિલેશન, સ્ટીરોઇડ્સ અને એન્ટી-કોગ્યુલેન્ટ્સ જેવા પગલાં અપનાવ્યા છે. નિરીક્ષણ હેઠળ હોમ આઇસોલેશન, તાત્કાલિક અને સમયસર સારવાર માટે દર્દીઓને લઇ જવા માટે એમ્બ્યુલન્સની સુધારેલી સેવાઓ, દ્વારા ખામીરહિત કાર્યક્ષમ દર્દી સંચાલનને સક્ષમ કર્યું છે.

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના પ્રયત્નોને ટેકો અને સહાય કરવા માટે, કેન્દ્ર દ્વારા કેન્દ્રિય બહુ-નિષ્ણાત ટીમોની નિમણૂક કરવામાં આવી છે. નિયમિત સમીક્ષાએ આરોગ્ય સુવિધાઓમાં તબીબી ઓક્સિજનની પૂરતી ઉપલબ્ધતાની ખાતરી આપી છે. આ પગલાંઓની સાથે ભારતે વધુ પ્રમાણમાં સાજા થયેલાની સંખ્યામાં નિર્ણાયક હસ્તક્ષેપની ભૂમિકા ભજવી છે અને નિમ્ન મૃત્યુદર (સીએફઆર) જાળવી રાખ્યો છે, જે હાલમાં 1.62 ટકા છે.