પ્રધાનમંત્રીએ રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે થયેલ જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે થયેલ જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,

“રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે ખૂબ દુઃખી છું. મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજન ગુમાવ્યા છે.”