“તું તારૂં યુધ્ધ જાતે લડ”

ચિંતન કરવાવાળા ચિંતા ક્યાં કરે છે? 

કર્મમાં માનવાવાળા બસ કાયૅ જ કરે છે.  

જીવનભર સુખ-દુઃખના ચક્રો ચાલ્યા જ કરે છે, 

પણ ગીતાજ્ઞાની તો સ્થિતપ્રજ્ઞ બની નિજાનંદમાં જ ફરે છે.  

વધારે વિચારવાથી નિર્ણયો ડગમગાવાય જાય છે, 

પણ તેને શું ચિંતા? જેનો સારથી શ્રીકૃષ્ણ જ બની જાય છે.  

ખાલી નામ લેવાથી કૃષ્ણનું ક્યાં થવાય છે? 

કૃષ્ણને પામવા તો બસ કર્મના સિધ્ધાંત પર જ ચલાય છે. 

 “તું બસ તારૂં કર્મ કર” આટલી નાની તો વાત છે, 

આ ના સમજનારા જ તેમના જીવનમાં ઉદાસ છે.  

– મોનિકા તન્ના (શબ્દયાત્રા)