જીવનભર થાય ના કશું અર્પણ
મૃત્યુ પછી પુગે ખરું આ તર્પણ.
જીવતે માવતર વારે ચડ્યા હોય
મૃત્યુ પછી કેવું લાગે ફોટો સ્મરણ!
કારજમાં એનાં મધમધતી મીઠાઈ
જીવતે જીવ ધરાર અપાયો કણ.
પીપળે તો પાણી ખૂબ ભાવે રેડાયું
જીવતાં આ માવતરને મળ્યું છે રણ.
વાણી ને વર્તન માવતર તરફ સુધરે
પછી જ ગણાશે સાચું પિતૃ તર્પણ.
– નિલેશ બગથરિયા