ગુજરાતના કેટલાક પ્રાંતોમાં રાત્રે 8.13 વાગ્યે ભૂકંપના આંચકા

ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, પોરબંદર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં આંચકા અનુભવાયા હતા અને અનેક જગ્યાઓએ લોકો ઘરો છોડીને બહાર આવી ગયા હતા, આ મામલે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ વિભાગને ઍલર્ટ કરી દેવામાં આવ્યું છે. કચ્છના અંજારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગર પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગરમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ISRના જણાવ્યા મુજબ 5.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપનો આંચકો અનુભવાયો ત્યારે કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો. ભૂકંપના ઝાટકા બાદ કચ્છના ભચાઉના કેટલાંક મકાનોમાં તિરાડો પડી હતી, તો ક્યાંક-ક્યાંક ઘરોની છતમાંથી પોપડા તૂટી પડ્યા હતા. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ કેટલાંક મકાનોમાં તિરાડો પડી હોવાની વિગતો મળે છે.