દસકાઓ પછી પણ બી. આર. ચોપડાનું મહાભારત એના મૂળ રીલીઝ પછી પણ આજે દર્શકોને મૂર્તીમય કરે છે અને દ્રઢ ચાહક વર્ગ ધરાવે છે. આ મહાગાથા કલર્સ પર બીજું સફળ પ્રસારણ અનુભવે છે જેમાં અન્ય કલાકારો સાથે ગુફી પેન્ટલ, પુનીત ઇસ્સાર, નિતીશ ભારદ્વાજ અને રૂપા ગાંગુલી જેવાં કલાકારોને રાતોરાત પ્રસિદ્ધિ હાસલ
થઇ હતી. જો કે, એક એ કલાકાર પણ હતો જેણે કિશોર સુદામાનો રોલ કર્યો હતો અને એને પાછળથી પ્રસિદ્ધિ મળી હતી. આ કલાકાર છે સુમિત રાઘવન.
સુમિતેઆ શોમાં કૃષ્ણના મિત્ર સુદામાની ભૂમિકા કરી હતી. એ વખતે એ માત્ર 16 વર્ષનો હતોઅને કહે છે કે આ શો કોઈ ઈતિહાસ સર્જાશે એવું કોઈ માનતું નહોતું. એ કહે છે, “મને જ્યારે આ રોલ મળ્યો ત્યારે હું એકદમ યુવા હતો, અને આ બ્લોકમાં હોય તેમ દરેક બાળકની જેમ ઉત્તેજિત હતો. એ વખતે હું ખૂબ પાતળો હતો, કદાચ એટલે જ મને આ રોલ મળ્યો હતો ! (હશે છે). અમારા શોટ માત્ર ત્રણ કે ચાર દિવસના હતાં, અને મને યાદ છે કે ફિલ્મ સિટીમાં સંદીપની આશ્રમના સીનનું શૂટિંગ ચાલતું હતું અને વરસાદના પાણીની સિક્વન્સ ચેના ખાડી ખાતે લેવાઈ હતી. એ વખતે મને ખબર નહોતી કે હું એક ભવ્ય ઇતિહાસનો હિસ્સો બનવા જઈ રહ્યો છું. પણ એક વાત મને યાદ છે, મુકેશજી અને નીતીશ્જીને મેં સેટ પર જોયા હતા. તેઓનો સૂર્ય ઝળહળતો હતો અને એમને જોઇને તો હું આશ્ચર્ય ચકિત થઇ ગયો હતો.” એણે ઉમેર્યું હતું કે, “એક વાર આ એપિસોડ પ્રસારિત થવા લાગ્યા, પછી મારા સોશિયલ મીડિયા પર પ્રશ્નોની વણઝાર ચાલી હતી. લોકો મને જોડીને સ્ક્રીન શોટ લઈને મને ટેગ કરતાં હતાં, અને પૂછાતા હતાં, એ તું જ છે? અમને તો ખબર જ નહોતી કે તું આ સીરીયલનો ભાગ છે. મને ખુશી છે કે મને આવા પ્રખ્યાત એકટરો સાથે કામ કરવાનો મોકો મળ્યો અને આ ઐતિહાસિક સીરીયલનો ભાગ બન્યો.”